Skip to main content

Lok Milap


આજે ગુજરાતી ભવન માં ખૂબ જ રસપ્રદ એવુ વ્યાખ્યાન યોજવા માં આવ્યું હતું જેમાં જુદા જુદા ભવન ના  ઘણા બધા વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકો એ હાજરી પુરાવી હતી. આ વ્યાખ્યાન એકંદરે સાહિત્ય એકાદમી દ્વારા મંજુર કરાયેલું હતું જેનું ટાઇટલ હતું "પ્રવાસી મંચ".અને આ વર્કશોપ માં મુખ્ય મહેમાન તરીકે "આરાધનાબેન ભટ્ટ" ઉપસ્થિત હતા. તેમજ ગુજરાતી સાહિત્ય માં ખૂબ જ જાણીતા અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય માં અધ્યાપક તરીકે ફરજ બજાવી ચૂકેલ એવા "વિનોદભાઇ જોશી" પણ હાજર હતા જેનાથી સમગ્ર કાર્યક્રમ મા સોનેપે સુહાગા જેવો માહોલ પ્રસરી ગયો હતો..

‌આ કાર્યક્રમ ની શરૂઆત મા સૌ પ્રથમ ગુજરાતી ભવન ના કાજલ બેન દ્વારા દુલાભાઇ નું  "આવકારો મીઠો આપજો" ગીત ગાયન થી કરવામાં આવેલી. ત્યારબાદ મહેન્દ્રભાઈ પરમાર જે ગુજરાતી ભવન ના હેડ છે તેમને આ કાર્યક્રમ અંગે ની પ્રાથમિક માહિતી આપેલી.જેમાં શીર્ષક "પ્રવાસ મંચ " નું મહત્વ સમજાવેલું અને એક વાકય બોલેલા...

‌"હું તો નિત્ય પ્રવાસી...જ્યાં ચારણ રુકે ત્યાં કાશી..."


‌આ સંપૂર્ણ મહિનો લોકમિલાપ થી ઉજવામાં અવી રહ્યો છે ત્યારે આ વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યુ. મહેન્દ્ર સર એ કહેલું કે આ વર્કશોપ લખતા શીખવા અને વિચારતા શીખવા ના હેતુ થી યોજવા મા આવે છે.
‌  ત્યારબાદ વિનોદભાઈ જોશી દ્વારા આરાધનાબેન ભટ્ટ ની પૂર્વ ભૂમિકા બાંધવા મા આવેલી.

આરાધનાબેન વિશે ટૂંક મા પરિચય

‌આરાધનાબેન ઓસ્ટ્રેલિયા ના સિડની મા વસે છે. એ એક રેડીઓકર્મી, સંવાદ દાતા પણ છે. આમ તો એ પત્રકાર છે. "સુર સંવાદ" નામ ના ગુજરાતી રેડીઓ શરુ કરી ને ગુજરાતી ભાષા ને છેલ્લાં 12 વર્ષ થી સક્રિય રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે BA,  MA, M.Phil પદવી પ્રાપ્ત કરેલી છે અને બીલીમૉરા ના ચીખલી ખાતે અધ્યાપક તરીકે એક વર્ષ ફરજ બજાવી ચૂકેલા છે

‌સંગીત માં અલંકાર નો અભ્યાસ કરી ગોલ્ડ મેડાલીસ્ટ રહી ચુક્યા છે. સાથે સાથે તેઓ શાસ્ત્રીય ગાયિકા પણ છે. આમ તેઓ ઓસ્ટ્રેલિયા માં રહી ને પણ ગુજરાતી ભાષા ને સક્રિય રાખવા ના પ્રયાસો થકી તેઓ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક બ્રિજ બની ને કામ કરી રહ્યા છે.  આવતીકાલે એટલે કે 25/01/2020 ના રોજ એમને મોરારીબાપુ ના હસ્તે એવોર્ડ થી નમાઝવામાં આવશે.

‌આરાધનાબેન દ્વારા કહેલી વાતો :

આરાધનાબેન ભાવનગર ને એક Romanticism  તરીકે બિરદાવે છે. નાનપણ થી જ સાહિત્ય પ્રત્યે ના પ્રેમ ના બીજ રોપાયા હોવાનો દાવો કરે છે. જેમ સપ્તાહ માં એક દિવસ મંદિરે જવાનો રિવાજ હોઈ એમ એમના ઘરે સપ્તાહ માં પાપા ની આંગળી પકડી ને પુસ્તકાલય માં જવાનો રિવાજ હતો. તેઓ કહે છે કે "વિદેશ માં જઈ ને મને મારી ભાષા મળી"... આજ થી 35 વર્ષ પેહલા એ ઓસ્ટ્રેલિયા ગયેલા ત્યારે પ્રત્યાયન નું કોઈ માધ્યમ ના હતું એટલે એકલતા અનુભવતા જેનાથી એમને પોતાની જાત સાથે વાતો કરવાની તક મળી અને પોતાની ભાષા એટલે કે  ગુજરાતી ભાષા એમને વિદેશ માં જઈ ને મળી. પેહલા તો એ સરકારી માધ્યમ સાથે જોડાયેલા હતા અને નેશનલ પ્રસારણ કરતા. ત્યારબાદ રેડિયો "સુર સંવાદ " ની શરૂઆત કરી જેને 12 વર્ષ થયાં. ઓસ્ટ્રેલિયા માં દર સપ્તાહ ના અંતે એટલે કે રવિવારે જીવંત પ્રસારણ કરવા માં આવે છે અને ત્યારબાદ એ પ્રસારનો ને વેબસાઈટ પર મૂકવામાં આવે છે. આ રેડિયો પર આખા સપ્તાહ નો સાર તેમજ ગીતો, મનોરંજક કાર્યક્રમો તેમજ સંવાદો વગેરે નું પ્રસારણ થાય છે.

આરાધનાબેન દ્વારા કરવામાં આવેલી પ્રવાસી ની વાતો :-

Migration :-

‌આરાધનાબેન પોતાના દેશાંતર અંગેના અનુભવો ની વાતો કરે છે. તેઓ ઘણી સ્ત્રીઓ સાથે savand કરે છે જેને દેશાંતર કરેલું છે. મુલાકાત દરમિયાન વ્યક્તિ ને વ્યક્ત થવાની પુરી તક આપે છે. જ્યાં સુધી સામે વાળી વ્યક્તિ ખુલ્લી ને વાત ના કરે ત્યાં સુધી આરાધનાબેન એમનો પીછો છોડતા નથી. ખાસ કરી ને  તેમને દેશાંતર કરેલી એવી સ્ત્રીઓ સાથે વાત કરી જે મૂળ ગુજરાતી છે પણ જન્મ એમનો Africa, Australia,  Newzealand, Britain, America માં થયો છે. આવી સ્ત્રીઓ મૂળ ગુજરાતી હોઈ અને જન્મ એમનો બીજા દેશ માં થયો હોઈ અને લગ્ન પણ બીજાં દેશ માં થયાં હોઈ. આવી સ્ત્રીઓ ના મનોભાવો ખુબ જ અલગ હોઈ છે. અને એમનું સમાજશાસ્ત્ર ની દ્રષ્ટિ થી પણ અભ્યાસ થાય છે.   દેશાંતર કરેલી સ્ત્રીઓ ની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે એ સ્ત્રીઓ ને અપાર શક્તિઓ મળી છે વિકસવા માટે, નવું શીખવા માટે ના એમના માટે ના દ્વારો ખુલ્લા થયાં છે, વિદેશ માં વસવાટ કરવાથી ઘણું પ્રાપ્ત કરી શક્યાં છે. હા એમણે ઘણા સંઘર્ષો પણ કર્યા છે. એકલતા પણ ખુબ જ અનુભવી છે.

Nostalgia :-

‌આરાધનાબેને સ્થળાંતર કરેલી સ્ત્રીઓ ની મુલાકાત લીધી એ દરમિયાન જાણવા મળ્યું કે એમના માં કેવી Nostalgia જોવા મળે છે. દરેક ને કંઈક ને કંઈક સંઘર્ષ કરવું પડ્યું...એકલતા અનુભવી અને એ સમય  દરમિયાન પોતાના દેશ ની અને પોતે જ્યાં વસવાટ કરી રહ્યા છે એ બંને દેશ નું comparision થાય છે. મોટા ભાગ ની સ્ત્રીઓ  ખુબ જ પીડા વ્યક્ત કરતા કહે છે કે જેઓ ભારત મૂકી ને વિદેશ માં આવ્યા ત્યારે જે ભારત હતું એ ભારત આજે જયારે ભારત  માં જય્યે ત્યારે નથી મળતું. ઘણો તફાવત અનુભવે છે.  જે નેગેટિવ સાઈડ બતાવે છે. આમ સ્થળાંતરિત સ્ત્રીઓ માં Nostalgia ની અસર જોવા મળી.

Racism:-

‌સ્થળાંતર થવાંથી ઘણા સંઘર્ષો માંથી બહાર નીકળી છે સ્ત્રીઓ. જેમાં નું એક ખુબ જ મોટુ પાસું Racism પણ  છે. કાળા ધોળા ના સવાલો અનેક દેશો માં નડતર રૂપ સાબિત થયાં છે. પરંતુ આરાધનાબેન જણાવે છે કે એમને આ Racism ક્યાય પણ નાડ્યું નથી. એ જ્યાં રહે છે ત્યાં એમને સમાનતા ના ધોરણે થી જ એમને જોવામાં આવે છે. એટલે આ racism ના મુદ્દા થી આરાધનાબેન નું મંતવ્ય સકારાત્મક જોવા મળ્યું હતું.

‌e-Social Media:-

‌આજ થી 35 વર્ષ પેહલા જયારે પ્રત્યાયન ના કોઈ સાધનો ના હતા ત્યારે સ્ત્રીઓ જેને સ્થળાંતર કર્યું હતું એ મનોમન ખુબ જ એકલતા અનુભવતી. પણ હવેના સમય માં જયારે face book, instagram, wtsapp, ના જમાના આવ્યા છે ત્યારે આવી સ્ત્રીઓ કે સ્થળાંતર કરેલ કોઈ પણ વ્યક્તિઓ સોશ્યિલ મીડિયા ની મદદ થી સતત પોતાના દેશવાસીઓ સાથે સંપર્ક થી જોડાયેલા રહેતા હોઈ છે. આવી જ વાત આરાધનાબેન એ કરી કે facebook પર કઈ રીતે migrant સ્ત્રીઓ નું એક ગૃપ ચલાવી રહ્યા છે  જેનાથી દરેક ભારતીય સ્ત્રીઓ એકબીજા ના સંપર્ક માં રહેતી હોઈ છે અને પોતપોતાના વિચારો ની આપ લે કરતા હોઈ છે. હવે આવી સ્ત્રીઓ માટે physical distance doesn't matter now. દરેક બાબત ને પ્રત્યક્ષ સ્વરૂપ થી જોવે છે.

ગુજરાતી ભાષા નું મહત્વ અને ગુજરાતી ભાષા પ્રત્યે નો લગાવ ઓસ્ટ્રેલિયા માં :-

‌અહીંયા સલમાન રશ્દી ને યાદ કરવા યોગ્ય રહેશે જેમને Midnight' childrens માં જે homeland ની વાત કરી હતી એવી સ્થિતિ જોવા મળે છે. મૂળ ગુજરાતી પરંતુ બીજા દેશ માં જન્મ લઇ ને ઓસ્ટ્રેલિયા આવી ને વસવાટ કરે ત્યારે એમની Nationality નો સવાલ ઉભો થાય છે. ત્યારે સ્પષ્ટ પણે  પોતાની Nastionality કઈ?
‌તેઓ કહે છે કે ઘણા ગુજરાતી લોકો English ભાષા ને જ અનુસરતા હોઈ છે અને જયારે એનું કારણ પૂછવામાં આવે ત્યારે કહે છે કે બાળકો નો અંગ્રેજી ભાષા માં સારો વિકાસ થાય એટલે રોજિંદી ભાષા માં પણ અંગ્રેજી નો ઉપયોગ અમે કરીયે છીએ. આમ કરવાથી ગુજરાતી ભાષા ઘસાતી દેખાય છે અને જયારે બસ્તી ગણતરી જેવો sarvey હોય એમાં પણ અંગ્રેજી હોવાનું જણાવતા હોઈ છે. આનાથી સ્પષ્ટ અંક નથી  મળતો કે ઓસ્ટ્રેલિયા માં ટોટલ કેટલા ગુજરાતીઓ છે?  અને આ ઘસાતી જતી ગુજરાતી ભાષા ને વિકસાવવા માટે આરાધનાબેન એ ગુજરાતી રેડિયો ની શરૂઆત ઓસ્ટ્રેલિયા માં કરેલી. કહેવાય છે ને કે સાંભળેલું ભુલાય નહિ.. શ્રાવ્ય માધ્યમ અસરકારક હોઈ છે આથી રેડિયો ની મદદ થી બાળકો કે અન્ય ગુજરાતી લોકો ગુજરાતી ભાષા સાંભળે એ હેતુ થી રેડિયો ની શરૂઆત કરવામાં આવી.

મુલાકાતો દરમિયાન હકારાત્મક નકારાત્મક અસરો :-

‌મુલાકાતો દરમિયાન બંને અનુભવો થતા હોઈ છે. ઘણી વખત ખુબ જ સંતોષકારક અનુભવો ને જવાબો મળતા હોઈ છે ને ઘણી વખત સામે વાળી વ્યક્તિ ના જવાબ પણ ના મળે એવુ બની શકતું. પણ આરાધનાબેન જ્યાં સુધી સંતોષ ના મળે ત્યાં સુધી મુલાકાત લઇ ને સફળ બનતા.

‌Empathetic :-

‌મુલાકાતો માં તેઓ હંમેશા સહાનુભૂતિ થી જ સંવાદો કરતા આનાથી સામે વાળી વ્યક્તિ સંપૂર્ણ પણે ખુલ્લી ને વાતો કરી શકે. તેઓ પોતાની જાત ને કહે છે કે I may be  a bad journalist because  I am very empathic while talking with the candidate.

Risky questions :-

‌તેઓ નરેન્દ્ર મોદી સાથે નો એક અનુભવ જણાવે છે કે નરેન્દ્રમોદી ના PA અમુક સવાલો ના પૂછો તો વધારે સારુ એવું જણાવે છે પરંતુ આરાધનાબેન બેજિજક સવાલો પૂછે છે કે (CM માંથી PM ક્યારે? ).અને એ જવાબ પણ મેળવીને જ રહે છે.

ઉલટ તપાસ થી સત્યતા આવે તો સોશ્યિલ મીડિયા નો શું perspective?

‌જયારે રેડિયો પ્રસારણ ને વેબસાઈટ પર  મૂકવામાં aave ત્યારે પ્રત્યાઘાતો પણ મળે છે. કોઈ controversial વાતો ચાલતી હોઈ તો તેઓ એનાથી દૂર રહે છે. Political matters વખતે તેઓ સમાનતા ને ધ્યાન માં રાખે છે ને પત્રકારત્વ ને આવી બાબતો થી દૂર રાખી ને જ ચર્ચા કરે છે.

Culture of Australia :-

‌ત્યાં resources ખુબ જ વધારે પ્રમાણ માં મળી રહે છે પરંતુ બગાડ પણ ખુબ જ વધારે કરે છે લોકો. ત્યાંના લોકો મળતાવડા સ્વભાવ ના હોઈ છે. Racism નો પ્રોબ્લેમ ત્યાં ઓછો જોવા મળે છે.  ત્યાં આપણી સંસ્કૃતિ નું પણ અનુકરણ ખુબ જ વધારે પ્રમાણ માં થાય છે. આપનો પહેરવેશ, આપણું ખાણુંપીણુ એ લોકોને ખુબ જ પસંદ છે.

Adult Migrant :-

‌Adult Migrant માટે થોડુંક અઘરું હોઈ છે સ્થળાંતરીત કરી ને સેટ થવું. ભાષા નો મોટો પ્રોબ્લેમ થતો હોઈ છે. આવા સમય માં આરાધનાબેન Adult Migrant ને અંગ્રેજી શીખવવાનું કામ પણ કરી ચુક્યા છે.

Education System :-

‌ઓસ્ટ્રેલિયા અને ભારત ના સ્કૂલ એડયુકેશન માં ખાસ્સો તફાવત જોવા મળતો નથી. 10+2=12 જ સિસ્ટમ ચાલે છે બંને જગ્યા એ. પરંતુ ત્યાં વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા મુજબ ના અને રસ હોઈ એવા વિષયો સાથે ભણે છે. ત્યાં પણ માર્ક સિસ્ટમ થી જ એડમિશન મળે છે હવે અમુક સંસ્થાઓ શરૂ થઇ છે જે કૌશલ્યો ને અગ્રતા આપી ને એડમિશન આપે છે. ત્યાં મોટા ભાગે સરકારી શાળાઓ ચાલે છે. અમુક જ શાળા ઓ છે જે ચર્ચ સાથે જોડાય છે અને ધાર્મિક શિક્ષણ આપે છે. શાળા માં કોઈ પણ ફી ભરવાની હોતી નથી. શાળા કે કૉલેજ પર પોલિટિકલ  કોઈ પણ અસર જોવા મળતી નથી.

ઔપચારિક શિક્ષણ :-

ત્યાં 17 કે 18 વર્ષ ના થયાં બાદ યુવાનો કે યુવતીઓ ને માતા પિતા તરફ થી આર્થિક સહાય નથી મળતી. જાતે સંઘર્ષ કરે છે અને શિક્ષણ નો ખર્ચો કાઢે છે અને નાની મોટી નોકરી કરે છે..પોતાના માં રહેલી શક્તિઓ ને ઓળખે છે અને 28 - 30 યર્સ સુધી માં પોતાની જાત પર આત્મવિશ્વાસ કેળવી લે છે.

Requirements of examination :-

આજ ના સમય માં વિદેશ જવા માટે IELTS જેવી exams આપવી પડે છે ત્યાર બાદ જ જઈ શકાય છે.. પેહલા ના સમય માં exams નોહતી પણ results recognise કરવા પડતા. આરાધનાબેન BA, MA, M. Phil હોવા છતાં પણ એમની BA સુધી ની પદવી માન્ય રાખવામાં આવી અને ત્યાં ફરીથી એમને education લેવું પડ્યું.
આમ આ કાર્યક્રમ ખુબ જ લાંબો અને ખુબ જ રસપ્રદ ચાલેલો. અંતે આરાધનાબેન એ ખુબ સરસ વિનોદભાઈ જોશી ની કવિતા ગાઈ ને કાર્યક્રમ ને અંતિમ પડાવ પર લઇ ગયા.

હું તહે દિલ થી ગુજરાતી ભવન નો અને ત્યાંના અધ્યાપક શ્રી મહેન્દ્રભાઈ નો તેમજ વિપુલભાઈ અને દિક્પાલ ભાઈ નો આભાર માનઊ છું જેમને અમને આવા અમૂલ્ય કાર્યક્રમ ના સહભાગી બનવા આવકર્યા.  તેમજ અંગ્રેજી ભવન ના અધ્યાપક શ્રી દિલીપભાઈ બારડ નો પણ  ખુબ ખુબ આભાર કે જેમને અમને જાગ્રત કર્યા ને આવા કાર્યક્રમ માં ભાગીદારી નોંધાવા પ્રેરણા આપી.

Comments

Popular posts from this blog

The Alchemist - book review

આ ક્વોરનટાઇન વેકેશન મા જો કઈ આત્મસંતોષ મળે એવુ વાંચન કયુઁ હોય તો એ છે The Alchemist by Paulo Coelho. આજ સુધી માત્ર મેં Paulo Coelho ની વાતો જ સાંભળેલી હતી પરંતુ આજે સ્વયં વાંચીને તેને અનુભવ્યું પણ. The Alchemist નવલક્થા એ સૌથી શ્રેષ્ઠ નવલક્થા માની એક નવલ કથા છે. જેનું 67 ભાષા મા અનુવાદ થયેલું છે અને 10 કરોડ થી પણ વધારે પ્રતો નું વેચાણ થયેલું છે. નવલ કથા ના ફ્રન્ટ પેજ પર એક ખૂબ સરસ વાકય લખ્યું છે : "જયારે આપણે કંઈક મેળવવાની ઈચ્છા મન થી કરીએ છીએ ત્યારે દુનિયા ની સમગ્ર શક્તિ આપણી મદદે આવે છે ". આ નવલક્થા મા ઘણા સંઘર્ષ બતાવા મા આવ્યા છે જે અમુક લોકો વચ્ચે ના પણ હતા અને પોતાની જાત સાથે ના પણ હતા. પોતાના હૃદય એટલે કે મન ને કેવી રીતે કાબુમાં લેવું એની વાત છે. ગુજરાતી કેહવત છે કે :"મન હોય તો માળવે જવાય " એમજ જો મન થી મક્કમ હોય તો કોઈ પણ કામ સફળતા પૂર્વક પૂર્ણ કરી શકાય. અને ધ્યેય ની પ્રાપ્તિ કરી શકાય. અને આ વાત ને ખૂબ જ સારી રીતે બતાવામાં આવિ છે આ નવલક્થા મા. આધ્યાત્મિકતા ની ઝલક દેખાય આવે છે અને સાથે સાથે દ્રઢ શ્રદ્ધા અને શુકનો ની પણ વાતો કરવામાં આવિ છે....

SEER

The Source Educational Evaluation Rubric “Seer is a tool to open a discussion with students about evaluating sources and to stress the importance of using quality sources in academic writing. I think SEER is a brilliant idea that will help students become better writers”. -   Danielle Harris, teacher champion high school and a SEER field tester Nowadays, students can use websites for reading materials. So it should evaluate by every students who used the online materials if it is authentic or not. Turnitin Turnitin worked with educators to develop The Source Educational Evaluation Rubric (SEER), an interactive rubric to analyze and grade the academic quality of internet sources used by students in their writing. Instructors and students who use SEER can quickly evaluate a website and arrive at a single score based on five criteria scaled to credibility. Authority, Educational Value, Intent, Originality, and Quality. Authority:-  ...

Youth Festival 2018: Academic Task

        Our University has organised "Aishvaryam Youth Festival 2018" for 3 days from 26/10/2018 to 28/10/2018. Many events were organised in the youth festival. They are:  Kalayatra, Quiz, poetry recitation, on the spot painting, mimicry, bhajan, cartooning, paper collage, mono acting, sugam geet, folk dance, solo folk dance, western dance, western solo dance, folk orchestra, essay writing, elocution, rangoli...etc,.                            A month ago, all the students started their preparation for youth festival. There were many rules of youth festival. All the participates got their own identity card.              I could not attend all events. Because I was presented at our department as a volunteer. Quiz and Essay writing competitions were organised at our department. On 26 October, the first round of Quiz was stared. O...